ગાંધીનગરના કોબા સ્થિત ‘શ્રી કમલમ’ ખાતે 6 એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા ભાજપાનો ધ્વજ ફરકાવી ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત ભારતમાતા, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી. આ પ્રસંગે બંને નેતાઓએ કાર્યકર્તાઓને સંબોધન કરીને ભાજપની વિચારધારા અને સંગઠનશક્તિ વિશે પ્રેરણાદાયી વિચારો વ્યક્ત કર્યા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભાજપ માત્ર એક રાજકીય પક્ષ નથી, પરંતુ “રાષ્ટ્ર પ્રથમ”ના મંત્ર સાથે જનસેવાનું કાર્ય કરતું એક સશક્ત માધ્યમ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભાજપની કાર્યશૈલી “જેટલું બોલવું એટલું કરવું અને જેટલું કરવું તેટલું જ બોલવું” પર આધારિત છે, જેના કારણે જ જનતાનો વિશ્વાસ સતત મજબૂત બન્યો છે. તેમણે કાશ્મીરમાંથી કલમ 370 દૂર થવાની ઘટના અને દેશના વિકાસને ભાજપના સંકલ્પ અને કાર્યકર્તાઓના ત્યાગનું પરિણામ ગણાવ્યું
તેમણે ગુજરાતના વિકાસનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે રાજ્યનું બજેટ આજે 4.08 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જે વિકાસની ગતિનું પ્રતીક છે. મહિલા સશક્તિકરણ માટે 33 ટકા અનામત જેવી પહેલો પણ ભાજપના દ્રષ્ટિવંત નેતૃત્વનું પ્રતિબિંબ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે વૈશ્વિક સ્તરે આગવી ઓળખ બનાવી હોવાનું તેમણે ઉમેર્યું.
પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે સ્થાપના દિવસ માત્ર ઉજવણીનો પ્રસંગ નથી, પરંતુ રાષ્ટ્રગૌરવના સંકલ્પને નવી દિશા આપવાનો દિવસ છે. તેમણે ભારતીય જનસંઘથી શરૂ થયેલી યાત્રાને આજે ભાજપના વિશાળ વટવૃક્ષમાં રૂપાંતરિત થયેલી ગણાવી. તેમણે કાર્યકર્તાઓના ત્યાગ અને સમર્પણને યાદ કરીને જણાવ્યું કે આજની સફળતા તેમની મહેનતનું પરિણામ છે.
વિશ્વકર્માએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને લઈને કરાયેલા નિવેદન પર કડક પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ગુજરાતના સ્વાભિમાનને ઠેસ પહોંચાડનાર કોઈ પણ નિવેદન સહન કરવામાં નહીં આવે અને ગુજરાતીઓ તેનો યોગ્ય જવાબ આપશે.
અંતમાં તેમણે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાર્યકર્તાઓને સંકલ્પબદ્ધ બની કાર્ય કરવા અને રાજ્યભરમાં ભાજપનો વિજયધ્વજ લહેરાવવાનો આહવાન કર્યો હતો.
આ પ્રસંગે ભાજપના અનેક પદાધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ અને દેશભક્તિનું માહોલ સર્જાયો હતો.
Bureau Gujarat Pravasi News – Ahmedabad
www.gujaratprvasi.com















आधारित सुरक्षा तंत्र को मजबूत करने और 7,500 नागरिक सुरक्षा स्वयंसेवकों के प्रशिक्षण को तेज करने पर भी बल दिया।


