Home Blog
राया पुलिस की बड़ी कार्रवाई: 1 किलो 600 ग्राम अवैध गांजा सहित शातिर अभियुक्त गिरफ्तार
मथुरा।
मथुरा जनपद के थाना राया पुलिस ने अवैध नशे के खिलाफ चलाए जा रहे अभियान के तहत बड़ी सफलता हासिल की है। पुलिस टीम ने मुखबिर की सटीक सूचना पर कार्रवाई करते हुए 1 किलो 600 ग्राम अवैध गांजा के साथ एक शातिर अभियुक्त को गिरफ्तार किया है।
प्राप्त जानकारी के अनुसार, थाना राया पुलिस ने दिनांक 11 अप्रैल 2026 को रात्रि लगभग 8:30 बजे नीमगांव रोड स्थित आयराखेड़ा क्षेत्र में बंबा के पास छापेमारी की। इस दौरान श्याम पुत्र मिश्री लाल, निवासी आयराखेड़ा, थाना राया, जिला मथुरा को मौके से गिरफ्तार किया गया।
पुलिस द्वारा अभियुक्त के कब्जे से 1 किलो 600 ग्राम अवैध गांजा बरामद किया गया। इस संबंध में थाना राया में मु0अ0सं0 0125/2026 के तहत धारा 8/20 एनडीपीएस एक्ट में मुकदमा दर्ज कर विधिक कार्रवाई प्रारंभ कर दी गई है।
गौरतलब है कि गिरफ्तार अभियुक्त का आपराधिक इतिहास भी काफी गंभीर रहा है। उसके विरुद्ध हत्या, हत्या के प्रयास, लूट, अपहरण एवं आर्म्स एक्ट सहित कई संगीन धाराओं में पूर्व में भी मुकदमे दर्ज हैं, जिससे उसकी आपराधिक गतिविधियों की पुष्टि होती है।
यह पूरी कार्रवाई थाना प्रभारी कर्मवीर सिंह के नेतृत्व में संपन्न हुई, जिसमें उपनिरीक्षक राजेश कुमार यादव सहित पुलिस टीम के अन्य सदस्य भी शामिल रहे। पुलिस की इस सख्त कार्रवाई से क्षेत्र में नशा तस्करों के खिलाफ कड़ा संदेश गया है।
स्थानीय लोगों ने पुलिस की इस कार्रवाई की सराहना करते हुए उम्मीद जताई है कि भविष्य में भी इसी तरह नशे के खिलाफ अभियान जारी रहेगा, जिससे क्षेत्र में कानून-व्यवस्था और अधिक मजबूत हो सके।
रिपोर्ट/चैनल हेड: राहुल शर्मा
मथुरा, उत्तर प्रदेश
गुजरात प्रवासी न्यूज़
🌐 www.gujaratpravasi.com
જનસેવા સંકલ્પ કાર્યક્રમ: કર્ણાવતી અને વડોદરામાં ભાજપા ઉમેદવારોને અપાયો જનસેવાનો સંકલ્પ
અમદાવાદ/વડોદરા।
ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા રાજ્યભરમાં આયોજિત ‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમ અંતર્ગત કર્ણાવતી અને વડોદરા મહાનગરોમાં ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભાજપા ઉમેદવારોને જનસેવા માટે પ્રતિબદ્ધ થવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો।
કર્ણાવતી મહાનગર ખાતે કાંકરિયા સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમા પાસે આયોજિત કાર્યક્રમમાં ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે કર્ણાવતી મહાનગરના ૪૮ વોર્ડના તમામ ઉમેદવારોને જનસેવાનો સંકલ્પ લેવડાવ્યો હતો। આ પ્રસંગે ઉમેદવારોએ ભાજપાની અંત્યોદય અને વિકાસની વિચારધારાને અનુસરતા જનતા વચ્ચે રહી કાર્ય કરવાની તથા નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક લાભાર્થી સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી।
આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ પંડ્યા, કર્ણાવતી મહાનગર અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ, સાંસદ હસમુખભાઈ પટેલ અને દિનેશભાઈ મકવાણા સહિત અનેક ધારાસભ્યો, સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા।
તે જ રીતે વડોદરા મહાનગર ખાતે કાલાઘોડા સર્કલ નજીક આયોજિત કાર્યક્રમમાં હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। તેમની હાજરીમાં વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી માટે ભાજપાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લીધો હતો।
વડોદરાના કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી ડૉ. મનિષાબેન વકિલ, પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણભાઈ શુક્લા, વડોદરા શહેર ભાજપા અધ્યક્ષ ડૉ. જયપ્રકાશ સોની સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા।
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, ‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમનો મુખ્ય હેતુ ઉમેદવારોને જનતાની સેવા માટે પ્રતિબદ્ધ બનાવવાનો અને ચૂંટણી પૂર્વે સંગઠનને વધુ સશક્ત બનાવવાનો છે। રાજ્યભરના તમામ ૧૫ મહાનગરપાલિકાઓમાં આવા કાર્યક્રમો યોજાતા કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો।
રિપોર્ટ: બ્યુરો રિપોર્ટ
ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ
🌐 www.gujaratpravasi.com
ગુજરાત ભાજપાનો ‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમ રાજ્યભરમાં યોજાયો, કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ
અમદાવાદ/રાજકોટ।
ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ રાજ્યની તમામ 15 મહાનગરપાલિકાઓમાં આજે ‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને યોજાયેલ આ કાર્યક્રમ રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે।


રાજકોટ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે કર્ણાવતી મહાનગરમાં ભુપેન્દ્રભાઈ પટેલએ ઉપસ્થિત રહી ભાજપા ઉમેદવારોને જનસેવાનો સંકલ્પ લેવડાવ્યો હતો। વડોદરામાં હર્ષભાઈ સંઘવીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો। અન્ય ૧૨ મહાનગરપાલિકાઓમાં પણ પ્રદેશ ભાજપા દ્વારા નિયુક્ત આગેવાનોની હાજરીમાં સમાન કાર્યક્રમો યોજાયા હતા।
કાર્યક્રમ અંતર્ગત વિવિધ શહેરોમાં પ્રભાવશાળી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। સુરત ખાતે કારગીલ ચોક પર કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, જામનગરમાં પરષોત્તમભાઈ રૂપાલા, ભાવનગરમાં આર.સી. ફળદુ, વાપીમાં ગણપતભાઈ વસાવા અને નવસારીમાં કનુભાઈ દેસાઈએ ઉમેદવારોને બંધારણીય મૂલ્યો અને ભાજપાની વિચારધારા અનુસાર જનસેવામાં પ્રતિબદ્ધ રહેવાનો સંકલ્પ લેવડાવ્યો હતો।
આ ઉપરાંત મહેસાણા, ગાંધીધામ, આણંદ, નડિયાદ, પોરબંદર, મોરબી અને સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં પણ પૂર્વ મંત્રીઓ અને પ્રદેશ આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમો યોજાયા હતા। તમામ સ્થળોએ કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને જુસ્સો જોવા મળ્યો હતો।

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભાજપા ઉમેદવારોને જનસેવા માટે પ્રતિબદ્ધ બનાવવાનો અને ચૂંટણી પૂર્વે સંગઠનને વધુ મજબૂત કરવાનો છે।
કાર્યક્રમ દરમિયાન પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ, અજયભાઈ બ્રહ્મભટ્ટ, રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સૌએ આગામી ચૂંટણીમાં ભાજપાના પ્રચંડ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો।
રિપોર્ટ: બ્યુરો રિપોર્ટ
ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ
🌐 gujaratpravasi.com
રાજકોટ શહેર ભાજપાના નિષ્ઠાવાન કાર્યકર્તા મહેશભાઈ માખેલાનું અવસાન, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પરિવારને પાઠવી સાંત્વના
શોક સમાચાર
રાજકોટ।
રાજકોટ શહેર યુવા મોરચાના પૂર્વ મહામંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકર્તા મહેશભાઈ માખેલાના દુઃખદ અવસાનથી સમગ્ર શહેર તેમજ રાજકીય વર્તુળોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। તેમના નિધનને કારણે ભાજપા પરિવારને મોટી ક્ષતિ પહોંચી છે।


આ દુઃખદ પ્રસંગે જગદીશભાઈ વિશ્વકર્મા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને પરિવારજનો સાથે મુલાકાત કરી તેમને આ કપરા સમયમાં હિંમત આપતા સાંત્વના પાઠવી હતી। તેમણે જણાવ્યું હતું કે મહેશભાઈ માખેલા પાર્ટીના સમર્પિત અને કાર્યનિષ્ઠ કાર્યકર્તા હતા, જેમણે વર્ષો સુધી સંગઠનને મજબૂત બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું।
મહેશભાઈ માખેલા રાજકોટ શહેર યુવા મોરચામાં પૂર્વ મહામંત્રી તરીકે કાર્યરત રહી ચૂક્યા હતા અને યુવાનોમાં સંગઠન પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ પાર્ટીના વિચારધારા પ્રસારે માટે સતત પ્રયત્નશીલ રહ્યા હતા। તેમના સરળ સ્વભાવ, મિલનસાર વ્યક્તિત્વ અને કાર્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે તેઓ સહકાર્યકર્તાઓમાં લોકપ્રિય હતા।


તેમના અવસાનના સમાચાર મળતા જ અનેક ભાજપા આગેવાનો, કાર્યકર્તાઓ તથા સ્થાનિક લોકો તેમના નિવાસસ્થાને પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। સૌએ તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી કામના વ્યક્ત કરી।


રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રે મહેશભાઈના યોગદાનને હંમેશા યાદ કરવામાં આવશે અને તેમનું ખાલી પડેલું સ્થાન સહેલાઈથી ભરાઈ શકે તેમ નથી।
રિપોર્ટ: બ્યુરો રિપોર્ટ
ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ
www.gujaratpravasi.com
AAP ગુજરાત પ્રભારી ગોપાલ રાય દ્વારા રાજકોટમાં મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન, ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ
રાજકોટ।
ગોપાલ રાય દ્વારા રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે અને તમામ રાજકીય પક્ષો પોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે।
આ પ્રસંગે આમ આદમી પાર્ટીના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં અજીત લોખિલ, દિલીપસિંહ વાઘેલા અને રાહુલ ભુવા સહિતના મુખ્ય પદાધિકારીઓએ હાજરી આપી હતી। કાર્યક્રમ દરમિયાન પાર્ટીની સંગઠનાત્મક મજબૂતી અને ચૂંટણીની વ્યૂહરચના અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી।
Aam Aadmi Party દ્વારા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જોરદાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। કાર્યાલયના ઉદ્ઘાટન સાથે રાજકોટમાં રાજકીય હલચલ વધુ તેજ બની ગઈ છે। પાર્ટી સંગઠન હવે વધુ સક્રિય બની રહ્યું છે અને કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે।

પાર્ટી નેતાઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં બદલાવની લહેર ચાલી રહી છે અને લોકો હવે વિકલ્પ તરફ જોવાનું શરૂ કરી રહ્યા છે। આવી પરિસ્થિતિમાં AAP આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરી રહી છે અને આવનારી ચૂંટણીમાં મજબૂત હાજરી નોંધાવવાનો દાવો કરી રહી છે।
રાજકીય વિશ્લેષકોના મતે, રાજકોટમાં આ કાર્યાલયનું ઉદ્ઘાટન માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ ચૂંટણી પહેલા શક્તિ પ્રદર્શન અને સંગઠન મજબૂત બનાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે।

આગામી દિવસોમાં AAP દ્વારા રાજ્યભરમાં વધુ સભાઓ, મિટિંગ્સ અને જનસંપર્ક અભિયાન યોજવાની તૈયારી ચાલી રહી છે, જેના કારણે ચૂંટણીનો માહોલ વધુ ગરમાશે તેવી શક્યતા છે।
રિપોર્ટ: વનરાજ રાવલ
ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ
www.gujaratpravasi.com









