Homeબીએલો ટીમસરસપુર વિસ્તારમાં બે ચાલીમાં બીએલો ટીમ દ્વારા મતદારયાદી સુધારણા કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ

સરસપુર વિસ્તારમાં બે ચાલીમાં બીએલો ટીમ દ્વારા મતદારયાદી સુધારણા કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ

માં મણીલાલ કડિયા ની ચાલીએ અને સેવંતીલાલ ની ચાલીમાં બીએલો અધિકારીઓ અને કાર્યકર્તાઓની હાજરીમાં મતદારયાદીનું કામ પારદર્શક રીતે પૂર્ણ

સરસપુર, અમદાવાદ

સરસપુર વિસ્તારના માં મણીલાલ કડિયા ની ચાલી અને સેવંતીલાલ ની ચાલી ખાતે બીએલો ટીમ દ્વારા મતદારયાદી સુધારણા કામગીરી સુચારું રીતે પૂર્ણ કરવામાં આવી।

કાર્ય દરમિયાન બીએલો અધિકારીઓ સાથે—

  • પલકબેન દેસાઈ

  • ઉર્વીબેન

  • બંસીભાઈ (બીઓલો સાહેબ)

  • કાર્યકર્તા વિવેકભાઈ ઉપાધ્યાય

  • બચુભાઈ

ઉપસ્થિત રહ્યા અને વિસ્તારના રહેવાસીઓ સાથે સીધી મુલાકાત કરી જરૂરી દસ્તાવેજોની ચકાસણીની કામગીરી કરી।

સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે મતદારયાદીનું કામ ખૂબ જ યોગ્ય અને પારદર્શક રીતે કરવામાં આવી રહ્યું છે, જેથી નવા મતદારોનો સમાવેશ અને ત્રુટિ સુધારણા પ્રક્રિયા સરળતાથી આગળ વધી રહી છે।

મતદારયાદી વિશેષ સંશોધન અભિયાન અંતર્ગત બીએલો ટીમો ઘર-ઘર જઈને ફોર્મ સ્વીકારી રહી છે અને યોગ્ય માર્ગદર્શન પણ આપી રહી છે।

રિપોર્ટ – Gujarat Pravasi News

RELATED ARTICLES

Most Popular