અમદાવાદ – નિકોલ-બાપુનગર ઝોન:
નિકોલ-બાપુનગર ઝોનની સહાયક અન્ન નિયંત્રક સુશ્રી વિકેતા બેન એમ. વ્યાસને તેમના ઉત્તમ કાર્ય અને જાહેર સેવા ક્ષેત્રે આપેલા યોગદાન બદલ અખિલ ભારતીય વિકાસ પરિષદ દ્વારા વિશેષ સન્માનથી નવાજવામાં આવ્યા.

આ સન્માન સમારોહમાં પરિષદના અધ્યક્ષ શ્રી સિયારામ શર્મા, સમાજસેવક શ્રી હરેશ વ્યાસ તથા શ્રી વિવેક એમ. ઉપાધ્યાયની વિશેષ ઉપસ્થિતિ રહી. એમના હસ્તે સુશ્રી વિકેતા બેન વ્યાસને સન્માનિત કરવામાં આવ્યા.
કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું કે સુશ્રી વ્યાસે નિકોલ-બાપુનગર વિસ્તારમાં જનહિત માટે મહત્વપૂર્ણ કામગીરી કરી છે –
-
વૃદ્ધ, વિધવા, દિવ્યાંગ તથા મેડિકલ સારવાર હેઠળ રહેલા અરજદારોને પ્રાથમિકતા આપીને રેશનકાર્ડ ઉપલબ્ધ કરાવવું
-
સરકારી અનાજનો લાભ સમયસર મળે તે માટે સતત પ્રયત્ન કરવો
-
મહત્તમ e-KYC કેમ્પ દ્વારા લોકોને સુવિધા આપવી
આ તમામ પ્રયાસોને લોકોએ વખાણ્યા અને પ્રશંસનીય ગણાવ્યા.
સન્માન સ્વીકારતાં સુશ્રી વિકેતા બેન વ્યાસે જણાવ્યું –
“આ સન્માન મને વધુ જવાબદારી તથા નવી પ્રેરણા સાથે કાર્ય કરવાની પ્રેરણા આપશે. હું લોકોના હિત માટે સમર્પિત રહીને કાર્ય ચાલુ રાખીશ.”
સમારોહના અંતે ઉપસ્થિત મહાનુભાવો તથા પરિષદના સભ્યોએ સુશ્રી વિકેતા બેન વ્યાસને શુભકામનાઓ પાઠવી અને તેમના ભવિષ્યના કાર્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી.
www.gujaratpravasi.com/www.gujaratpravasi.news
cont……8141022666