અમદાવાદ | બ્યુરો રિપોર્ટ
ગુજરાત યુનિવર્સિટીના સમાજવિજ્ઞાન ભવન ખાતે સ્થિત રાજનીતિશાસ્ત્ર વિભાગ દ્વારા એકાત્મ માનવવાદના પ્રણેતા, મહાન વિચારક તથા રાષ્ટ્રનિષ્ઠ ચિંતક પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની સ્મૃતિમાં ભાવસભર શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું।
આ કાર્યક્રમ તા. 11 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે 1:00 વાગ્યે, કક્ષ S-3, રાજનીતિશાસ્ત્ર વિભાગ, સમાજવિજ્ઞાન ભવન ખાતે યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીના અંત્યોદય, સમગ્ર વિકાસ અને એકાત્મ માનવવાદ જેવા વિચારસિદ્ધાંતોનું સ્મરણ કરવામાં આવ્યું હતું।
વક્તાઓએ જણાવ્યું હતું કે પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીના વિચારો આજના સમયમાં પણ સમાજ અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે અત્યંત પ્રાસંગિક અને પ્રેરણાદાયક છે।
આ પ્રસંગે સમાજવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. સુજાતા સોની ઓનાર, રાજનીતિશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ તથા કો-ઓર્ડિનેટર ડૉ. હિતેશ આર. પટેલ તેમજ જૉઇન્ટ કો-ઓર્ડિનેટર ડૉ. રંજના સી. ધોળકિયાની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી। તમામે પુષ્પાંજલિ અર્પણ કરી પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી।
કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રહિત, સામાજિક સમરસતા અને રાષ્ટ્રીય એકતાના સંકલ્પ સાથે કરવામાં આવ્યું હતું। ઉપસ્થિતોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીના વિચારો સદૈવ રાષ્ટ્રને માર્ગદર્શન આપતા રહેશે।
રિપોર્ટ: બ્યુરો ચીફ
ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ